Narendrajagtap's Blog

September 18, 2011

વિચારો ગઝલના

Filed under: ગઝલ — narendrajagtap @ 2:30 pm

ધરું છું તમોને વિચારો ગઝલના
તમારા અમારા સબંધો ગઝલના

હકીકત કહુંતો મને ક્યાં ખબર’તી
તમારા દિલે પણ ખયાલો ગઝલના

બનાસી કવિ તો કદમ બે ભરે છે
બનાવે લખીને મુકામો ગઝલના

બહારો તમે પણ છવાઓ ગઝલમાં
નથી દુર આવો, પ્રસંગો ગઝલના

રહે હાથ માથે સદાયે પ્રભુનો
રચાતા જ રહેશે વિચારો ગઝલના

September 4, 2011

કેમ કરી ભીંજાવું

Filed under: ગઝલ — narendrajagtap @ 11:46 am
Tags:

શ્રાવણ બેઠો,…વરસાદ છેટો…
કેમ કરી ભીજાવું
બોલરે સખી મારે કેમ કરી ભીંજાવું

કાઠા ગ્યારે દા’ડા ઓલ્યા,પરસેવાના રેલા
ભાળ રાખીને બેઠી હું તો
ઝરમર આવે વ્હેલા
ખારા ખારા અંગ મારા, કેમ કરી સુકાવું
બોલરે સખી મારે કરી ભીંજાવું

વ્હેલો આવીશ કહીને, પ્રિતમ ગ્યાં પરદેશ
ઉભી ઉભી ઝુરી મરું હું
ક્યારે આવશે એ દેશ
ઉંડા શ્વાસે દુર દેશે હું,અંગ ફોરમ રેલાવું
બોલરે સખી મારે કેમ કરી ભીંજાવું

Theme: Rubric. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.