Narendrajagtap's Blog

July 23, 2011

મૃગજળ

Filed under: achhandas rachanao — narendrajagtap @ 4:17 pm

કેમ દોડતો રહ્યો મૃગજળને જળ માની
તરસ્યો થયો ત્યારે જાણ્યું કે નથી પાણી
ગુલાબ ને રણમાં જોવાના શમણાં સેવ્યાંતાં
કુદરતનાં કોઇ નિયમોની રીત ન’તી જાણી.

ભરોસો સમયનો કરવો કે પોતાની તકદીરનો
વર્ષાના એંધાણ હતા ને પવન વાઇ ગયો,
મેં તો નિશ્ચિત ડગલે જ પગ માંડેલા
પણ ખેલ નસીબે અલગ જ ખેલેલા.

એષણાઓ સંપૂર્ણ ક્યાં થાય છે માનવીની
ખબર કદી ક્યાં પડે છે પહેલેથી ભાવીની
આશાઓ ઠગારી થઇ પડે છે ત્યારે
હાલત જેવી બને છે જાણે ભૂલેલા રાહીની

જેણે ભૂલ કરી છે મૃગજળને પાણી માનવાની
જેમ શત્રુના જ ઘરમાં તેને લલકારવાની
ભૂલથી પણ ગુલાબને રણમાં મળવાની
સદાય નોબત આવશે તેને ઠોકરો ખાવાની

July 3, 2011

અવતાર જેવું જોઇએ

Filed under: ગઝલ — narendrajagtap @ 9:09 am

કલયુગે અવતાર જેવું જોઇએ
ગાંધી કે સરદાર જેવું જોઇએ

સાચને સીધેસીધું મૂકી શકો
જૂઠને શણગાર જેવું જોઇએ

જો કલંકિત એમ કરવા જગ મથે
દ્રષ્ટિમાં પણ ધાર જેવું જોઇએ

થાય જો મુકાબલો સામે ખરો
યુધ્ધમાં લલકાર જેવું જોઇએ

હર વખત શું કામ સમ ખાવા પડે
પ્રેમમાં રણકાર જેવું જોઇએ

વ્હાલ મડદાને કરું પણ ક્યાં સુધી
લાશમાં ધબકાર જેવું જોઇએ

Theme: Rubric. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.